Shravan Month 2026, Tulsi Plant Vastu Tips: હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના અને ભક્તિ માટે સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક માનવામાં આવે છે. ગુજરાતી પંચાંગ અનુસાર વર્ષ 2026માં શ્રાવણ મહિનાની શરૂઆત 13 ઓગસ્ટ 2026, ગુરુવારથી થશે અને તેનો સમાપન 11 સપ્ટેમ્બર 2026, શુક્રવાર (શ્રાવણી અમાસ)ના દિવસે થશે. આ સમય દરમિયાન ઘર અને આસપાસનું વાતાવરણ હરિયાળું અને સકારાત્મક ઊર્જાથી ભરેલું રહે છે. તેથી જ શ્રાવણ મહિનામાં ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ શુભ માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્ર મુજબ, શ્રાવણમાં તુલસી રોપવાથી ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. સાથે જ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પરિવારના સભ્યોના જીવનમાં શુભ ફળ મળવાનું કહેવાય છે.
આ પણ વાંચો
શ્રાવણમાં તુલસી લગાવતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વના નિયમો
યોગ્ય દિશામાં તુલસી રોપો
વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ હંમેશા ઘરની ઉત્તર (North) અથવા પૂર્વ (East) દિશામાં લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશાઓમાં તુલસી રાખવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
પાણી ન ભરાઈ રહે તેની કાળજી લો
શ્રાવણ મહિનામાં વરસાદ વધુ હોવાથી માટીમાં ભેજ વધે છે. જો કુંડામાં પાણી ભરાઈ રહે તો તુલસીના મૂળ સડી શકે છે. તેથી તુલસીના કુંડામાં પાણીની યોગ્ય નિકાસની વ્યવસ્થા હોવી જરૂરી છે.
નિયમિત પૂજા કરો
શ્રાવણ દરમિયાન તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્યમાં વધારો થાય છે. જોકે એક મહત્વની વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ભગવાન શિવની પૂજામાં તુલસીના પાન અર્પણ કરવાનું શાસ્ત્રોમાં વરજિત માનવામાં આવ્યું છે.
તુલસી પર મંજરી આવવી કેમ માનવામાં આવે છે શુભ?
શ્રાવણ મહિનામાં ઘણી વખત તુલસીના છોડ પર મંજરી આવવા લાગે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી પર મંજરી આવવી ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંજરી આવવી એ માતા લક્ષ્મીની કૃપાનું પ્રતિક છે. આ સંકેત દર્શાવે છે કે ઘરમાં જલ્દી કોઈ શુભ સમાચાર મળી શકે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે.
તુલસીમાં મંજરી આવે તો શું કરવું?
ભગવાન વિષ્ણુને અર્પણ કરો
તુલસીની મંજરી ભગવાન વિષ્ણુ અને લાડુ ગોપાળને અત્યંત પ્રિય માનવામાં આવે છે. જો તુલસી પર મંજરી આવે તો તેને તોડી ભગવાન વિષ્ણુને અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ ઉપાયથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
શિવલિંગ પર ક્યારેય ન ચઢાવો
શાસ્ત્રો અનુસાર તુલસીના પાન અથવા મંજરી ભગવાન શિવને અર્પણ કરવી યોગ્ય માનવામાં આવતી નથી. તેથી મંજરીને શિવલિંગ પર ચઢાવવાથી બચવું જોઈએ.
બીજ તરીકે ઉપયોગ કરો
જો તુલસીની મંજરી સૂકાઈ જાય તો તેને ફેંકી દેવાને બદલે કુંડાની માટીમાં દાટી દેવી જોઈએ. તેમાંથી નવા તુલસીના છોડ ઉગી શકે છે, જે ઘરમાં હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.
શ્રાવણ માસમાં તુલસીનો છોડ લગાવવો માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ પણ શુભ માનવામાં આવે છે. યોગ્ય દિશામાં તુલસી રોપવી, તેની નિયમિત સેવા કરવી અને મંજરીના ધાર્મિક ઉપાયો અપનાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા, સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે.
