Amazon Layoffs Reason:વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓ પૈકીની એક Amazon ફરી એકવાર મોટા પાયે છટણી(Mass Layoff) કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો પ્રમાણે કંપની ટૂંક સમયમાં 30,000 કોર્પોરેટ કર્મચારીની છટણી કરી શકે છે. આ છટણીઓ Human Resources, Amazon Web Services (AWS) અને Devices & Services જેવા અનેક વિભાગોને અસર કરશે.
Amazon Layoffs Reason: Amazon કર્મચારીઓને કેમ છટણી કરી રહ્યું છે?
કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, એમેઝોનનું આ પગલું તેની ખર્ચ ઘટાડવા(Cost Cutting)ની વ્યૂહરચનાનો એક ભાગ છે. કોવિડ-19 મહામારી દરમિયાન ઓનલાઈન શોપિંગની માંગ વધુ હોવાથી એમેઝોને હજારો નવા કર્મચારીઓને નોકરી પર રાખ્યા હતા. જો કે હવે માંગ સામાન્ય થઈ ગઈ છે અને ખર્ચમાં ઘટાડો થયો છે, કંપની તે કર્મચારીઓને ભરતી કરી રહી છે.
CEO એન્ડી જેસી(Andy Jassy)ના નેતૃત્વ હેઠળ કંપની એમેઝોનને Leaner and more Agile Organization એટલે કે ઓછા ખર્ચવાળી અને વધુ ચપળ સંસ્થા બનાવવાના હેતુથી બહુ-વર્ષીય રિસ્ટ્રક્ચરિંગ યોજના અમલમાં મૂકી રહી છે. આ વ્યૂહરચનાના ભાગ રૂપે કંપની તેના એચઆર સ્ટાફને 15% સુધી ઘટાડી શકે છે અને અન્ય વિભાગોમાં પણ કાપ મૂકવાની શક્યતા છે.
Amazon Layoffs Reason:એમેઝોન અત્યાર સુધીમાં કેટલી છટણી કરી ચૂક્યું છે?
વર્ષ 2022 થી એમેઝોને વિવિધ તબક્કામાં 27,000થી વધુ કર્મચારીઓને છટણી કરી છે. આમાં ક્લાઉડ, કોમ્યુનિકેશન, ડિવાઇસ અને રિટેલ યુનિટનો સમાવેશ થાય છે. હવે, આ અઠવાડિયે નવી છટણી શરૂ થતાં આ સંખ્યા વધુ વધી શકે છે. એમેઝોને આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, પરંતુ કર્મચારીઓને ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવે તેવી શક્યતા છે. કંપની પાસે હાલમાં વૈશ્વિક સ્તરે 1.54 મિલિયનથી વધુ કર્મચારીઓ છે, જેમાં વેરહાઉસ કામદારોનો પણ સમાવેશ થાય છે.
ટેક કંપનીઓમાં છટણીનો દોર
આ ફક્ત એમેઝોનની વાર્તા નથી. અત્યાર સુધીમાં, 2025 માં 200 થી વધુ ટેક કંપનીઓએ આશરે 98,000 કર્મચારીઓને છટણી કરી છે. આમાં icrosoft, Meta, Google, Intel અને Salesforce જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. માઇક્રોસોફ્ટે આ વર્ષે 15,000 નોકરીઓ કાઢી છે, મેટાએ તેના AI યુનિટમાંથી 600 નોકરીઓ કાઢી છે, ગૂગલે 100 ડિઝાઇનર્સને કાઢી છેઅને ઇન્ટેલે 22,000 કર્મચારીઓને કાઢી મૂક્યા છે.
કંપનીઓ કહે છે કે AI ઓટોમેશન અને ખર્ચમાં ઘટાડો હવે તેમની નવી વ્યૂહરચનાનો ભાગ છે, જેના કારણે પરંપરાગત નોકરીઓ ગુમાવી રહી છે. એમેઝોનની નવી છટણી દર્શાવે છે કે ટેક ક્ષેત્ર હજુ પણ રોગચાળા પછીના ગોઠવણ તબક્કામાં છે. કંપનીનો ધ્યેય ખર્ચ ઘટાડીને નફાકારકતા(Profitability) અને કાર્યકારી કાર્યક્ષમતા વધારવાનો છે. નિષ્ણાતો માને છે કે AI-આધારિત વર્કફ્લો વધવાથી આગામી મહિનાઓમાં આવી છટણીઓ ઝડપી થઈ શકે છે.
