Ekadashi August 2026: ઓગસ્ટ 2026માં ક્યારે છે એકાદશી (અગિયારસ)? જાણો સંપૂર્ણ તારીખવાર યાદી

Ekadashi August 2026: ઓગસ્ટ 2026 ના શ્રાવણ માસમાં આવતી કામિકા અને પુત્રદા એકાદશીની સાચી તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત, પારણાનો સમય અને તેના ધાર્મિક મહત્વ વિશે સંપૂર્ણ માહિતી મેળવો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 29 Jul 2026 10:38 AM (IST)Updated: Wed, 29 Jul 2026 10:38 AM (IST)
ekadashi-agiyaras-august-2026

Ekadashi (Agiyaras) August 2026: હિંદુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ રહેલું છે. ઓગસ્ટ 2026 ના પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત બે અત્યંત ફળદાયી એકાદશીઓ આવવા જઈ રહી છે - કામિકા એકાદશી અને પુત્રદા એકાદશી. જો તમે પણ આ પવિત્ર વ્રત રાખવાનું વિચારી રહ્યા છો, તો ચાલો આ લેખમાં જાણીએ બંને એકાદશીની ચોક્કસ તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને પારણાનો યોગ્ય સમય.

એકાદશી (અગિયારસ) ઓગસ્ટ 2026 (Ekadashi (Agiyaras) August 2026)

વૈદિક પંચાંગ અનુસાર, વર્ષ 2026 માં શ્રાવણ મહિનાની શરૂઆત 30 જુલાઈથી થશે અને તેનું સમાપન 28 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમા સાથે થશે. આમ તો શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ આ માસમાં આવતી એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની ઉપાસના માટે કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનામાં મહાદેવની સાથે શ્રી હરિની ભક્તિ કરવાથી અને આ વ્રત પાળવાથી મનુષ્યને પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શ્રાવણના કૃષ્ણ પક્ષમાં કામિકા અને શુક્લ પક્ષમાં પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે.

કામિકા એકાદશી 2026: ક્યારે છે વ્રત અને શું છે શુભ મુહૂર્ત?

  • એકાદશી તિથિની શરૂઆત: 09 ઓગસ્ટ, સવારે 03:29 વાગ્યે
  • એકાદશી તિથિનું સમાપન: 09 ઓગસ્ટ, રાત્રે 12:34 વાગ્યે
  • વ્રતની તારીખ: ઉદયાતિથિની માન્યતા અનુસાર, કામિકા એકાદશીનું વ્રત 08 ઓગસ્ટ ના રોજ રાખવામાં આવશે.

કામિકા એકાદશી 2026 પારણાનો સમય અને શુભ યોગ

જે ભક્તો 08 ઓગસ્ટના રોજ વ્રત કરશે, તેઓ 09 ઓગસ્ટના રોજ સવારે 06:05 થી 08:39 વાગ્યાની વચ્ચે પારણું કરી શકશે. આ ઉપરાંત, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જેનો શુભ સમય સવારે 06:04 થી 06:21 વાગ્યા સુધીનો રહેશે.

પુત્રદા એકાદશી 2026: ક્યારે છે વ્રત અને શું છે શુભ મુહૂર્ત?

  • એકાદશી તિથિની શરૂઆત: 22 ઓગસ્ટ, બપોરે 03:30 વાગ્યે
  • એકાદશી તિથિનું સમાપન: 23 ઓગસ્ટ, સાંજે 05:48 વાગ્યે
  • વ્રતની તારીખ: ઉદયાતિથિના નિયમ અનુસાર, પુત્રદા એકાદશીનું વ્રત 23 ઓગસ્ટ ના રોજ કરવામાં આવશે.

કામિકા એકાદશી 2026 પારણાનો સમય અને શુભ યોગ

પુત્રદા એકાદશીના વ્રતનું સમાપન (પારણું) 24 ઓગસ્ટના રોજ સવારે 06:09 થી 08:40 વાગ્યાની વચ્ચે કરી શકાશે. ખાસ વાત એ છે કે, પુત્રદા એકાદશીના દિવસે પણ સર્વાર્થ સિદ્ધિ યોગનો અદભુત સંયોગ બની રહ્યો છે, જે 23 ઓગસ્ટ સવારે 06:08 થી 07:14 વાગ્યા સુધી રહેશે. આ શુભ સમયમાં મંત્રજાપ અને વિષ્ણુ પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.