Western Railway: પોરબંદર-દિલ્હી અને અયોધ્યા-ભાવનગર ટ્રેન હવે નવા રૂટ પરથી દોડશે, જાણો વિગતવાર સમયપત્રક

ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર જયપુર સ્ટેશન ખાતે ચાલી રહેલા પુનર્વિકાસ અને અપગ્રેડેશનના કામને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Fri 21 Nov 2025 07:05 PM (IST)Updated: Fri 21 Nov 2025 07:05 PM (IST)
western-railway-porbandar-delhi-and-ayodhya-bhavnagar-trains-will-now-run-on-new-routes-know-the-detailed-timetable-642180
HIGHLIGHTS
  • ગાંધીનગર-જયપુર સ્ટેશન પર બ્લોકને કારણે ભાવનગરની ટ્રેનો ડાયવર્ટ
  • પોરબંદર અને ભાવનગરની ટ્રેનોના રૂટમાં 35 દિવસ માટે ફેરફાર

Western Railway: ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર જયપુર સ્ટેશન ખાતે ચાલી રહેલા પુનર્વિકાસ અને અપગ્રેડેશનના કામને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે ભાવનગર રેલવે મંડળમાંથી પસાર થતી કેટલીક મહત્વની ટ્રેનોના વ્યવહાર પર અસર પડી છે.

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધીના 35 દિવસના બ્લોકને કારણે નીચે મુજબની 4 ટ્રેનો બદલાયેલા માર્ગે દોડશે.

ટ્રેનોના રૂટમાં ફેરફારની સંપૂર્ણ વિગત:

પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ (ટ્રેન નં. 19269)

    સમયગાળો: તાત્કાળ અસરથી 12 ડિસેમ્બર, 2025 સુધી.

    બદલાયેલો રૂટ: આ ટ્રેન જયપુરના બદલે ફુલેરા – રીંગસ – રેવાડી સ્ટેશનો થઈને દોડશે.

    નવા સ્ટોપેજ: આ ટ્રેન ડાયવર્ઝન રૂટ પર રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર રોકાણ કરશે.

    પોરબંદર – દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ (ટ્રેન નં. 20937)

      સમયગાળો: 9 ડિસેમ્બર, 2025 સુધી.

      બદલાયેલો રૂટ: આ ટ્રેન ફુલેરા – રીંગસ – રેવાડી સ્ટેશનો મારફતે ડાયવર્ટ કરવામાં આવી છે.

      નવા સ્ટોપેજ: મુસાફરોની સુવિધા માટે રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

      દિલ્લી સરાય રોહિલ્લા – પોરબંદર એક્સપ્રેસ (ટ્રેન નં. 20938)

        સમયગાળો: 24 નવેમ્બર, 2025 થી 8 ડિસેમ્બર, 2025 સુધી.

        બદલાયેલો રૂટ: આ ટ્રેન રેવાડી – રીંગસ – ફુલેરા સ્ટેશનો મારફતે દોડશે.

        નવા સ્ટોપેજ: નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર આ ટ્રેનનું રોકાણ રહેશે.

        અયોધ્યા કૅન્ટ – ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ (ટ્રેન નં. 19202)

          પ્રસ્થાન તારીખ: 25 નવેમ્બર, 2025ના રોજ અયોધ્યા કૅન્ટથી ઉપડતી ટ્રેન. (આ ફેરફાર માત્ર તારીખ 25 નવેમ્બર, 2025ના રોજ અયોધ્યા કૅન્ટથી ઉપડતી ટ્રેન માટે જ છે.)

          બદલાયેલો રૂટ: આ ટ્રેન તેના નિયત રૂટના બદલે ભરતપુર – કોટા – આણંદ – અમદાવાદ – વીરમગામ થઈને દોડશે.

          નવા સ્ટોપેજ: આ ટ્રેન સવાઈ માધોપુર, કોટા, ભવાની મંડી, શામગઢ, નાગદા, રતલામ, દાહોદ, ગોધરા અને આણંદ સ્ટેશનો પર ઉભી રહેશે.

          ખાસ નોંધ: રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે ઉપરોક્ત ટ્રેનોમાં મુસાફરી કરતા પહેલા તેઓ બદલાયેલા રૂટ અને સમયપત્રકની નોંધ લે, જેથી મુસાફરી દરમિયાન કોઈ અસુવિધા ન થાય. અદ્યતન માહિતી માટે NTES એપ અથવા રેલવે પૂછપરછનો સંપર્ક કરી શકાય છે.