Junagadh: ગીર જંગલની આસપાસના વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સિંહનો ખોરાક ગણાતા હરણો પ્લાસ્ટિકનો કચરો ખાતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં એશિયાટિક સિંહોના સ્વાસ્થ્ય પર ખતરો જણાતા વન વિભાગ હરકતમાં આવ્યું હતુ અને JCBની મદદથી કચરો હટાવવામાં આવ્યો છે.
હકીકતમાં રાજ્યસભા સાંસદ પરિમલ નાથવાણીએ ગીર જંગલની બહારના વિસ્તારનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો હતો. જેમાં કેટલાક હરણો પ્લાસ્ટિકનો કચરો ખાઈ રહ્યા હતા.
આ પણ વાંચો
સાંસદે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, પ્લાસ્ટિક આરોગત હરણ તેમનો શિકાર કરતાં એશિયાટિક સિંહો માટે પણ ખતરો ઉભો કરે છે. આ બાબતે પ્રવાસીઓને જવાબદાર બનવાની તેમજ અભ્યારણ્યની અંદર કચરો ફેંકવાનું બંધ કરવાની સલાહ આપી હતી. આ સાથે જ સરકાર તેમજ વન વિભાગના અધિકારીઓને ગીરના વન્યજીવ માટે પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ સુનિશ્ચિક કરવા કડક નિયમો લાગુ કરવાનું સૂચન કર્યું હતુ.
Heartbreaking and concerning visuals from outskirts of Gir. Spotted deers were seen eating plastic trash, which pose a severe threat not just to them, but to the Asiatic Lions that prey on them. The toxic cycle is entering the food chain. Tourists need to be highly responsible… pic.twitter.com/ZtdEC4aYkZ
— Parimal Nathwani (@mpparimal) November 29, 2025
બીજી તરફ આ વીડિયો ધ્યાને આવતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાત્કાલિક DSF જૂનાગઢને સ્થળ પર ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ જૂનાગઢ મ્યૂનિસિપલ કોર્પોરેશનને પણ કચરો સાફ કરવાની સૂચના આપવામાં આવી હતી. જે બાદ પ્લાસ્ટિકનો કચરો હટાવી લેવામાં આવ્યો છે. આ સાથે જ જવાબદાર પ્લોટ માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Thank you for tagging and raising this serious issue 🙏
— Arjun Modhwadia (@arjunmodhwadia) November 29, 2025
The moment this heartbreaking video reached me, I took immediate action:
✅ Directed DCF Junagadh to conduct on-ground verification
✅ Instructed Junagadh Municipal Commissioner to clear the area without delay
✅ Entire… https://t.co/57zJsDSA5J pic.twitter.com/mXP8cFI8xe
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગીરએ ગુજરાતનું ગૌરવ છે, તેમજ આપણાં એશિયાટિક સિંહો અને વન્યજીવન અમૂલ્ય છે. તેમના રહેઠાણની આસપાસ સિંગલ યુઝ પ્લાસ્ટિકને કોઈ સ્થાન નથી. દરેક નાગરિક અને પ્રવાસીએ આપણા વન્યજીવનના રક્ષક તરીકે કામ કરવું જોઈએ.
