Ambaji Gabbar Ropeway closed: પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં આવેલા ગબ્બર પર્વત પર રોપ-વે સેવા ચાલે છે. જોકે, આ રોપ-વે સેવા આગામી 23 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી છ દિવસ માટે બંધ કરવામાં આવી છે. વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ભક્તો પગથિયાં ચઢીને માતાજીના દર્શન કરવા પડશે.
અંબાજી ગબ્બર રોપ-વે 6 દિવસ માટે બંધ રહેશે
અંબાજી ગબ્બર પર્વત પર રોજના હજારો યાત્રિકો અને દર્શનાર્થીઓ રોપ-વેનો ઉપયોગ કરી માં આરાસુરીના દર્શન કરવા જાય છે. ત્યારે રોપ-વેનું સતત મેન્ટેનન્સ જરૂરી હોય છે. જેથી વાર્ષિક સારસંભાળ અને મેન્ટેનન્સ કામગીરી માટે રોપ-વે સેવા બંધ રાખવામાં આવે છે. મોટી સંખ્યામાં યાત્રિકો રોપ-વેનો ઉપયોગ કરતા હોવાથી રોપ-વે ઘસારો પડે છે.
મેન્ટેનન્સ કામગીરીને પગલે લેવાયો નિર્ણય
યાત્રીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે આ મેન્ટેનન્સની કામગીરી અનિવાર્ય છે. આ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ રોપવે સેવા આગામી 1 માર્ચ, 2026 થી રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે. આ છ દિવસ દરમિયાન, ગબ્બર પર્વત પર દર્શન કરવા ઈચ્છતા ભક્તો પગથિયાંનો ઉપયોગ કરીને માતાજીના દર્શન કરી શકશે.
આ પણ વાંચો: અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ, અનંત અંબાણીએ રૂ. 27.50 કરોડનું દાન અર્પણ કર્યું
3 દિવસથી બંધ પાવાગઢ રોપ-વે આજથી શરૂ
ઉલ્લેખનીય છે કે, શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ 3 દિવસ રોપ-વે સેવા બંધ કરવામાં આવી હતી. જે આજે ફરીથી પૂર્વવત કરવામાં આવી છે. મેન્ટેનન્સની કામગીરીના કારણે આ સેવા બંધ હતી, જેથી દર્શનાર્થીઓએ ચડીને માં મહાકાળીના દર્શન કર્યા હતા. પરંતુ આજથી રોપ-વે શરૂ થતાં દર્શનાર્થીઓ લાભ લઇ શકશે.
