Rajkot News Today Live: જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવા માટે શેઠ હાઇસ્કૂલ ખાતેથી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને મનપાના કર્મચારીઓની ટીમો રવાના થઈ છે. આ ટીમો સિટી બસો સહિતના વાહનોમાં સવાર થઈને નીકળી છે. કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમને પાણી અને કેળાનો જથ્થો પણ સાથે આપવામાં આવ્યો છે, જેથી તેઓ કાર્ય દરમિયાન આરામથી કામ કરી શકે.

જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવા માટે શેઠ હાઇસ્કૂલ ખાતેથી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને મનપાના કર્મચારીઓની ટીમો રવાના થઈ છે. આ ટીમો સિટી બસો સહિતના વાહનોમાં સવાર થઈને નીકળી છે. કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમને પાણી અને કેળાનો જથ્થો પણ સાથે આપવામાં આવ્યો છે, જેથી તેઓ કાર્ય દરમિયાન આરામથી કામ કરી શકે.
આજે જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. આ સંદર્ભે રાજકોટ પોલીસે સોશિયલ મીડિયા પર જંગલેશ્વર ડિમોલિશન અંગે ખોટી અફવાઓ કે આપત્તિજનક ટિપ્પણીઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે. રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર સતત મોનિટરીંગ કરવામાં આવશે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.