Premanand Maharaj Tips: પ્રેમાનંદ મહારાજ અવારનવાર લોકોને જીવન સાથે જોડાયેલી સમસ્યાઓનું સરળ અને આધ્યાત્મિક સમાધાન બતાવતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ તેમનો કોઈ ને કોઈ વીડિયો દરરોજ વાયરલ થતો રહે છે. ત્યારે હાલમાં વહેલા ઉઠવાના ઉપાયોને લઈને તેમણે વાત કરી હતી. જાણો શું કહ્યું.
શિયાળામાં વહેલા ઉઠવું મુશ્કેલ હોય છે. ઠંડીને કારણે લોકોને પથારી છોડવાનું મન થતું નથી. ત્યારે હાલમાં પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક નાનો છોકરો પ્રેમાનંદ મહારાજજી પાસે પોતાની એક મૂંઝવણ રજૂ કરી રહ્યો છે. છોકરાએ મહારાજને જણાવ્યું કે હું બધું બ્રહ્મચર્ય માની લઉં છું, પણ સવારે વહેલું ઉઠાતું નથી અને ઠંડીમાં તો બિલકુલ નથી ઉઠાતું.
પ્રેમાનંદ મહારાજે જણાવ્યો વહેલા ઉઠવાનો ઉપાય
પ્રેમાનંદ મહારાજ બોલ્યા કે ખરી વાત તો એ છે કે સવારે ઉઠવાની અત્યાર સુધી લગન લાગી નથી. જ્યારે હું 16 વર્ષનો હતો ત્યારે મને બાબા (સંત) બને ત્રણ વર્ષ થઈ ચૂક્યા હતા. તે સમયે હું ગંગાજીમાં ત્રિકાળ સ્નાન કરતો હતો. અમારો પ્રયાસ હંમેશા રાત્રે બે વાગ્યે ઉઠવાનો રહ્યો છે. ઉઠ્યા પછી થોડીવાર ભજનમાં બેસવું અને ત્યારબાદ ગંગા કિનારે જવું. તે સમયે ગંગાનું પાણી ખૂબ જ ઠંડુ હોય છે.
જ્યારે તે નાના બાળકે આગળ પૂછ્યું કે ક્યારેય તમને એવો વિચાર ન આવ્યો કે થોડું વધારે સૂઈ જાઉં? તેના પર મહારાજજીએ કહ્યું કે અમને ક્યારેય એવું નથી લાગ્યું. જો ક્યારેય એવું થાય તો લાગે છે કે હું ઘણું વધારે સૂઈ ગયો છું, જેના પછી મારું મન બેસીને ભજન કરવાનું કહે છે. આજે પણ શરીર બીમાર રહે છે, પરંતુ તેમ છતાં હું સમયસર ઉઠી જાઉં છું.
આ નિયમોનું કરો દરરોજ પાલન
પ્રેમાનંદ મહારાજ આગળ કહે છે કે સવારે વહેલા ઉઠવું ખૂબ જ જરૂરી છે. દિનચર્યા એવી હોવી જોઈએ કે સૂર્યોદયથી લઈને સૂવાના સમય સુધી એક મિનિટ પણ ખાલી ન રહેવી જોઈએ. આ દિનચર્યાના નિયમનું ક્યારેય ઉલ્લંઘન કરવું ન જોઈએ. કામ બરાબર તે જ સમયે કરવું જોઈએ, જે સમયે આદેશ આપવામાં આવ્યો છે.
