ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે, તમને ઉપવાસ દરમિયાન ફરાળી મોરૈયાની ખીચડી ખાવાનુમ મન થાય તો ઘરે બનાવી શકો છો, નોંધી લો આ રેસીપી.
મોરૈયો, દૂધી કે બટાકા, આદુ-મરચાની પેસ્ટ, ઘી, દહીં, પાણી, જીરું, મીઠું, લવિંગ, તજ પાવડર, મગફળી, મીઠો લીમડો, કોથમીર.
સૌ પ્રથમ એક બાઉલમાં મોરૈયાને ધોઈને 5 મિનિટ પલાળી દો અને બટેકાને છીણી લો.
હવે કુકરમાં થોડું ઘી ગરમ કરી તેમાં જીરુ, સુકુ લાલ મરચું,શીંગદાણા ઉમેરી સાતળો. પછી મીઠા લીમડાના પાન, આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો.
હવે તેમાં ખમણેલું બટાકું, મીઠું ઉમેરી મિક્સ કરી તેમા તજ લવિંગનો પાવડર ઉમેરી 2 મિનિટ પકાવો.
હવે તેમા થોડું પાણી અને થોડું દહીં ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરી મિડિયમ ગેસ પર 4 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
તૈયાર છે ફરાળી મોરૈયાની ખીચડી,તમે વ્રત દરમિયાન ઘરે ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.