100 અને 500 રૂપિયાની નકલી નોટો ફરી એકવાર બજારમાં આવી છે. અસલી અને નકલી નોટ વચ્ચેની ઓળખ કરવી મહત્વપૂર્ણ છે, જાણો અસલી નોટો કેવી રીતે ઓળખી શકાય.
RBIએ નકલી અને અસલી નોટો વચ્ચેનો તફાવત ઓળખવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.
RBI અનુસાર રૂ.100ની અસલી નોટમાં વર્ટિકલ બેન્ડની નજીક ફ્લોરલ ડિઝાઇન હોય છે, જે લગભગ વોટરમાર્કની સમકક્ષ હોય છે. તેમાં મહાત્મા ગાંધીની તસવીર અને વોટરમાર્કમાં 100 લખેલું હોય તેને મૂળ નોટની ઓળખ ગણવામાં આવે છે.
સિક્યોરિટી થ્રેડ દ્વારા પણ અસલી નોટો ઓળખી શકાય છે.રૂ.100ની અસલ નોટ પર સિક્યોરિટી થ્રેડ પર ભારત અને RBI લખેલું છે. આ ડિઝાઇન અલગ-અલગ એંગલથી જોવામાં આવે ત્યારે તેનો રંગ વાદળીમાંથી લીલામાં બદલાતો દેખાય છે. તે અસલી નોટની ઓળખ છે.
100 રૂપિયાની અસલ નોટમાં વર્ટિકલ બેન્ડ અને મહાત્મા ગાંધીની તસવીર વચ્ચે 100 અને RBI લખેલું છે. નોટમાં તેમનું સ્થાન નક્કી થાય છે.
સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાઈરલ થઈ રહ્યા છે, કે બજારમાં માત્ર રૂ.100ની જ નહીં પરંતુ 500 રૂપિયાની નકલી નોટો પણ આવી ગઈ છે.
સોશિયલ મીડિયા અનુસાર, બજારમાં ઉપલબ્ધ 500 રૂપિયાની નોટોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો સ્પેલિંગ ખોટો છે.
જ્યારે પણ તમે કોઈની પાસેથી રૂ. 500ની નોટ લો, ત્યારે ફક્ત ડિઝાઇન કે મહાત્મા ગાંધીની તસવીર અને વોટરમાર્કને ન જુઓ. રિઝર્વ બેંક અથવા અન્ય લેખાણની જોડણી અને હસ્તાક્ષર પર પણ ધ્યાન આપો.
તમે કાગળની ગુણવત્તા દ્વારા અસલી કે નકલી નોટો ઓળખી શકો છો. નકલી નોટનો કાગળ અસલી નોટો કરતા પાતળો હોય છે, તેને ફોલ્ડ કરવામાં આવે ત્યારે તે બગડે છે અથવા રંગ ગુમાવે છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી મહત્વપૂર્ણ માહિતી માટે ગુજરાતીજાગરણ વાંચતા રહો.