આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ 2025 (Budget 2025) રજૂ કરી દીધું છે.
આ બજેટમાં સામાન્ય જનતા ખાસ કરીને પગારદાર કર્મચારીઓને મોટી રાહત મળી છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.
પીએમ મોદીએ બજેટ સત્રના પહેલા દિવસે મિડિલ ક્લાસને મોટી રાહત મળશે તેવો ઈશારો આપ્યો હતો.
નાણાંમંત્રીએ ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. તેમને બજેટમાં 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ન લાગવાની જાહેરાત કરી છે.
રૂ. 12,00,001 થી રૂ. 16,00,000 સુધી આવક ધરાવતા લોકોએ 15% ટેક્સ આપવો પડશે.
રૂ. 16,00,001 થી રૂ. 20,00,000 સુધી આવક ધરાવતા લોકોએ 20% ટેક્સ આપવો પડશે.
રૂ. 20,00,001 થી રૂ. 24,00,000 સુધી આવક ધરાવતા લોકોએ 25% ટેક્સ આપવો પડશે.
રૂ. 24,00,000 ઉપર 30% ટેક્સ આપવો પડશે.
બજેટમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને વ્યવસાય સંબંધિત તમામ માહિતી જાણવા માટે gujaratijagran.com સાથે જોડાયેલા રહો.