જ્યારે અમૃતસરના નામનો ઉલ્લેખ થાય છે, ત્યારે સૌપ્રથમ યાદ આવે છે સુવર્ણ મંદિર. તે માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પણ આખા શહેરની ઓળખ છે.
સુવર્ણ મંદિર, જેને હરમિંદર સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિશ્વભરના લોકો દર્શન માટે આવે છે. શાંતિ અને ભક્તિનો અહેસાસ કરાવતું પવિત્ર સ્થાન છે.
સુવર્ણ મંદિર સરોવરની વચ્ચે બનેલું છે અને તેના કિનારે આખું અમૃતસર શહેર વસેલું છે. આ સરોવર “અમ્બસર” તરીકે ઓળખાતું હતું, જેના પરથી શહેરનું નામ ‘અમૃતસર’ પડ્યું.
મંદિરની બહારના ભાગ પર શુદ્ધ સોનાની પડતર છે, જેના કારણે તેને “Golden Temple” કહેવાય છે. તેની આ ચમક પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.
સુવર્ણ મંદિરની સ્થાપના શીખોના ચોથા ગુરુ – ગુરુ રામદાસજી દ્વારા કરવામાં આવી હતી, અને ગુરુ અર્જુનદેવે તેનું નિર્માણ પૂરું કર્યું હતું.
મંદિરની દિવાલો અને દરવાજા પર શાનદાર શિલ્પકલા અને કોતરણી જોવા મળે છે. આ કલા મંદિરને અનોખી ભવ્યતા આપે છે.
મંદિરના આસપાસ અનેક પવિત્ર તીર્થ છે, જ્યાં ભક્તો દર્શન અને પૂજા માટે આવે છે.
મંદિર નજીક આવેલ સંગ્રહાલયમાં સિખ ઇતિહાસ, શહીદો અને લડાઈઓ વિશે માહિતી મળે છે. આ મુલાકાત શીખ ધર્મના બલિદાન વિશે નવી સમજ આપે છે.
સુવર્ણ મંદિરની સૌથી સુંદર ઝલક રાત્રિના સમયે જોવા મળે છે, જ્યારે મંદિર પ્રકાશથી ઝગમગતું હોય છે. આ નજારો ભક્તોને શાંતિ અને આનંદ આપે છે.
અહીં દરરોજ લગભગ 50,000 થી વધુ લોકોને નિશુલ્ક ભોજન આપવામાં આવે છે. આ સેવા 24 કલાક ચાલુ રહે છે અને દરેક જાતિ-ધર્મના લોકોને આવકારવામાં આવે છે.
આવી રસપ્રદ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.