Ambaji Temple Aarti and Darshan Timings: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીની આરતી અને દર્શનના સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નવી સમયસૂચિ આગામી 16 જુલાઈ (અષાઢ સુદ બીજ)થી અમલમાં મુકવામાં આવશે.
અંબાજી મંદિરનું નવું સમયપત્રક (16 જુલાઈથી લાગુ)
આ પણ વાંચો
- સવારે આરતી: 7:00 થી 8:00 વાગ્યા સુધી
- સવારે દર્શન: 8:00 થી 11:30 વાગ્યા સુધી
- રાજભોગ: બપોરે 12:00 વાગ્યે
- બપોરે દર્શન: 12:30 થી 4:30 વાગ્યા સુધી
- સાંજે આરતી: 7:00 થી 7:30 વાગ્યા સુધી
- સાંજે દર્શન: 7:30 થી 9:00 વાગ્યા સુધી
બપોરના દર્શન સમયમાં શું મોટો ફેરફાર થયો છે?
નવી વ્યવસ્થા મુજબ સૌથી મોટો અને મહત્વનો ફેરફાર બપોરના સમયમાં કરવામાં આવ્યો છે. અગાઉ મંદિરમાં રાજભોગ ધરાવ્યા બાદ દર્શન માટે દ્વાર બંધ કરી દેવામાં આવતા હતા. પરંતુ હવે 16 જુલાઈથી બપોરે 12:30 વાગ્યાથી સાંજના 4:30 વાગ્યા સુધી પણ દર્શન રાબેતા મુજબ શરૂ રહેશે. આ ઉપરાંત, રાત્રે 9:00 વાગ્યા સુધી દર્શનનો લાભ મળશે, જેથી દૂર-દૂરથી આવતા યાત્રાળુઓને દર્શન માટે પૂરતો સમય મળી રહેશે.

દર્શનના સમયમાં ફેરફાર કરવાનું મુખ્ય કારણ શું છે?
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશ-વિદેશથી આવતા ભક્તોને વધુ સુવિધા અને અનુકૂળતા પૂરી પાડવાનો છે. મંદિરમાં ભક્તોની સતત વધી રહેલી ભીડનું અસરકારક રીતે સંચાલન કરી શકાય, અગવડતા ઘટે અને યાત્રાળુઓ લાંબા સમય સુધી શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શનનો લાભ લઈ શકે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
