Indigo Crisis: દેશમાં ઈન્ડિગોની સંચાલકીય મુશ્કેલીને કારણે હજારોની સંખ્યામાં યાત્રીઓની ઉડ્ડયન સેવાઓ રદ્દ થઈ છે અને અનેક રુટ્સ પરના ભાડા ઓચિંતા જ વધી ગયા છે. આ સ્થિતિને જોતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભાડાને લઈ કડક વલણ અપનાવ્યું છે અને યાત્રીઓને જલ્દીથી રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે.
એરફેર અંગે સરકારે મર્યાદા લાદી
મંત્રાલયે શનિવારે એક પ્રેસ રિલીઝમાં માહિતી આપી કે હવે તમામ એરલાઈન્સ નિયત મર્યાદામાં જ ભાડા વસૂલ કરી શકશે. નવા ભાડાને લગતી મર્યાદા આ પ્રકારે નક્કી થઈ છેઃ
- 500 કિમી સુધી- મહત્તમ રૂપિયા 7500
- 500-1000 કિમી- મહત્તમ 12000
- 1000-1500 કિમી- મહત્તમ રૂપિયા 15000
- 1500 કિમીથી વધારે- મહત્તમ રૂપિયા 18000
PIBની માહિતી પ્રમાણે આ મર્યાદા તમામ પ્રકારના બૂકિંગ માટે લાગૂ થશે. પછી એરલાઈનની વેબસાઈટથી ટિકિટ લીધી હોય કે પછી ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ પાસેથી ટિકિટ લીધી હોય. સરકારે કહ્યું છે કે આ મર્યાદા ત્યા સુધી લાગૂ રહેશે કે જ્યા સુધી ભાડા સામાન્ય લેવલ પર પરત ન આવી જાય અથવા તો તેની સમીક્ષા ન કરવામાં આવે.
The Ministry of Civil Aviation has invoked its regulatory powers to ensure fair and reasonable fares across all affected routes.
— ANI (@ANI) December 6, 2025
Domestic scheduled airlines shall not charge the fares to passengers more than the limits specified below:
Maximum Fare Rs 7500 for Stage Length… https://t.co/JM6rT8Z4vu pic.twitter.com/t4Jq0scAOD
એરલાઇન્સને આદેશ
મંત્રાલયે એક આદેશ જારી કરીને એરલાઇન્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ ખાતરી કરે કે ટિકિટની ઉપલબ્ધતા તમામ ભાડા બકેટમાં સુસંગત રહે, કોઈપણ રૂટ પર અચાનક કે અસામાન્ય ભાડામાં વધારો ન થાય અને બધી એરલાઇન્સ ભાડા મર્યાદાનું કડક પાલન કરે.
સરકાર રીઅલ-ટાઇમ ડેટા અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભાડાનું નિરીક્ષણ કરશે. કોઈપણ અનિયમિતતાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કટોકટીની પરિસ્થિતિઓમાં મુસાફરી કરતા નાગરિકો, ખાસ કરીને વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પર ગેરવાજબી ભાડાનો બોજ ન પડે.
