Ahmedabad News: અમદાવાદ મંડળ દ્વારા સાણંદ-જખવાડા રેલ્વે રુટ પર નોન ઇન્ટરલોકિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સિગ્નલિંગ અને ટ્રેન સુરક્ષા સંબંધિત કામગીરીને પગલે 8 ઓગસ્ટ શનિવારના રોજ સવારે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી એટલે કે કુલ 15 કલાક આ રુટ પરના 7 રેલ્વે ફાટક વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
રેલ્વે વિભાગ પાસેથી વિગત મુજબ, નોન ઇન્ટરલોકિંગ કાર્ય રેલ્વેના ટ્રેક સિસ્ટમ અને સિગ્નલિંગને વધારે સુરક્ષિત અને આધુનિક બનાવવાનો એક મહત્વનો ભાગ છે. આ કામગીરી પૂરી થયા પછી ટ્રેન સંચાલનમાં વધારે સલામતી, વિશ્વસનીયતા સુનિશ્ચિત થશે
આ પણ વાંચો
બંધ રહેનારા રેલવે ફાટકની વિગત:
- સાણંદ - છારોડી વચ્ચે: ફાટક નં. 23, 24 અને 25
- છારોડી - વિરોચનનગર વચ્ચે: ફાટક નં. 33 અને 34
- વિરોચનનગર - જખવાડા વચ્ચે: ફાટક નં. 36
- જખવાડા યાર્ડ: ફાટક નં. 37
વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ
પશ્ચિમ રેલ્વે દ્વારા સ્થાનિક વાહનચાલકો અને મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ 15 કલાક દરમિયાન ટ્રેન વ્યવહાર સુરક્ષિત રીતે ચાલી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંધ દરમિયાન લેવલ ક્રોસિંગ પરથી લોકોએ પસાર થવાનો પ્રયાસ ન કરવો અને ટ્રાફિક અને રેલવે તંત્રની સૂચનાઓનું પાલન કરવા અંગે પણ વિનંતી કરી છે.
