Devbhumi Dwarka: દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, દિપાવલી-નૂતન વર્ષ નિમિત્તે નવો કાર્યક્રમ જાહેર

19 થી 23 ઓક્ટોબર દરમિયાન દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરમાં દીપાવલી-નૂતન વર્ષ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 14 Oct 2025 06:48 PM (IST)Updated: Tue 14 Oct 2025 06:48 PM (IST)
devbhumi-dwarka-darshan-time-change-in-dwarkadhish-jagat-mandir-during-diwali-nutan-varsh-620718
HIGHLIGHTS
  • દિવાળીના દિવસે સવારે સાડા 5 કલાકે મંગળા આરતી થશે

Devbhumi Dwarka: આગામી દિવાળીના મહાપર્વ અને નૂતન વર્ષને ધ્યાનમાં રાખીને યાત્રાધામ દ્વારકા ખાતેના પ્રસિદ્ધ જગત મંદિરના દર્શન અને પૂજાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 19/10/2025 થી 23/10/2025 દરમિયાન 'દીપાવલી/નૂતન વર્ષ ઉત્સવ'ની ઉજવણી કરવામાં આવશે.

ધન તેરસ,શ્રીજીના દર્શન નિત્ય ક્રમ મુજબ રહેશે.

રૂપ ચતુર્દશી/દિવાળી

  • મંગળા આરતી: સવારે 05:30 વાગ્યે.
  • સ્નાન દર્શન બંધ: 06:30 થી 07:30 સુધી.
  • અન્નકુટ ઉત્સવ: અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ.
  • અનોસર દર્શન બંધ: બપોરે 01:00 વાગ્યે.
  • ઉત્થાપન: સાંજે 05:00 વાગ્યે.
  • હાટડી દર્શન: સાંજે 08:15 વાગ્યે.
  • શયન આરતી: રાત્રે 09:45 વાગ્યે.

નૂતન વર્ષ/બેસતું વર્ષ

  • મંગળા આરતી: સવારે 06:30 વાગ્યે.
  • ગોવર્ધન પૂજા: સવારે 11:30 વાગ્યે.
  • અનોસર દર્શન બંધ: બપોરે 01:00 વાગ્યે.
  • અન્નકુટ દર્શન: સાંજે 05:00 થી 07:00 સુધી.
  • શયન: રાત્રે 09:45 વાગ્યે.

ભાઈબીજ

મંગળા આરતી: સવારે 07:00 વાગ્યે.
અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે.

દ્વારકા મંદિર પરિસરમાં ભવ્ય શરદ રાસોત્સવ યોજાયો
ગત 6 ઓક્ટોબરના રોજ રાતે 8 થી 10 વાગ્યા દરમિયાન દ્વારકાધીશ જગત મંદીર પરિસરમાં ભવ્ય શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શરદ રાસોત્સવના કારણે 6 ઓક્ટોબરના રોજ જગત મંગિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં સવારે સાડા 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી, જે બાદ મંદિરના તમામ કાર્યક્રમો રાબેતા મુજબ યથાવત રહ્યા હતા.