Gopal Italia News: 5 ડિસેમ્બરના રોજ જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયું હતું. આ ઘટના એ ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે. આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાનું નિવેદન બહાર આવ્યું છે
હુમલા બાદ શું કહ્યું ગોપાલ ઇટાલિયા
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મારી ઉપર હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ હું ફરિયાદ કરવા માંગતો નથી. હું આ કૃત્ય કરનારને સહજતાથી માફ કરું છું. ભગવાન એ વ્યક્તિને અને તેના પરિવારને સુખી રાખે એવી પ્રાર્થનાઓ કરું છું. બાકીની વિગતે વાત પછી નિરાંતે કરીશ.
आज जामनगर की जनसभा के दौरान मेरे ऊपर हमला करनेवाले शख्स के ख़िलाफ़ मैं FIR करना नहीं चाहता। मैं उस व्यक्ति को दिल से माफ करता हूँ और उस व्यक्ति एवं उनके परिवार को ईश्वर सुखी रखे यह प्रार्थना करता हूँ। जय किसान। pic.twitter.com/pnrlIQbdfY
— Gopal Italia (@Gopal_Italia) December 5, 2025
જામનગરમાં આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જાહેરસભા હતી. સ્ટેજ પરથી ગોપાલ ઇટાલિયા લોકોને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પાસે બેઠેલા યુવાને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું. સદનસિબે આ જૂતું ગોપાલ ઇટાલિયા વાગ્યું ન હતું. પરંતુ આસપાસમાં રહેલા લોકોએ આ હુમલો કરના વ્યક્તિને પકડી લીધો હતો. જો કે હુમલા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે મારા પર હુમલો થવાનો છે એ પોલીસને જાણ હતી. લોકોએ માર મારતા હુમલાખોર યુવાન ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે ખસેડાયો હતો.
Jamnagar, Gujarat: During an AAP meeting in Jamnagar, a man threw a shoe at MLA Gopal Italia, causing brief chaos. Police restrained the individual, restored order, and some chairs were reportedly damaged pic.twitter.com/SXad764HCo
— IANS (@ians_india) December 5, 2025
ગોપાલ ઇટાલિયાને નિશાન બનાવનાર યુવક કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. તેની ઓળખ છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ છે. ઘટના બન્યા બાદ તુરંત જ સભામાં હાજર રહેલા લોકોએ છત્રપાલસિંહ જાડેજાને ઘેરી વળ્યા હતા અને તેને માર માર્યો હતો.
