Narmada Rainfall Report: નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ, ગરુડેશ્વરમાં સૌથી વધુ 218 mm નોંધાયો

આજે 1 ઓગસ્ટની સ્થિતિએ છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લામાં સરેરાશ 158.33 મીમી વરસાદ પડ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 01 Aug 2026 09:30 AM (IST)Updated: Sat, 01 Aug 2026 09:30 AM (IST)
narmada-rainfall-report-1-august-2026-garudeshwar-highest-rain-monsoon
Narmada Rainfall Report, 1 August 2026

Narmada Rainfall Report, 1 August 2026: રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના પગલે નર્મદા જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા 1 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે જાહેર કરાયેલા સત્તાવાર વરસાદી અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લામાં સરેરાશ 158.33 મીમી વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં તાલુકાવાર વરસાદની સ્થિતિ

નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ગરુડેશ્વર તાલુકામાં 218 મિમી નોંધાયો છે. તમામ તાલુકાના 24 કલાકના વરસાદી આંકડા અનુસાર:

  • ગરુડેશ્વર: 218 મીમી
  • સાગબારા: 201 મીમી
  • નાંદોદ: 166 મીમી
  • તિલકવાડા: 153 મીમી
  • ડેડિયાપાડા: 137 મીમી
  • ચીકદા: 75 મીમી

ઉપરાંત, 1 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે 6:00 થી 8:00 વાગ્યા સુધીના બે કલાકમાં તિલકવાડા તાલુકામાં સૌથી વધુ 70 મીમી વરસાદ નોંધાયો હતો. આ જ સમયગાળા દરમિયાન ગરુડેશ્વરમાં 52 મીમી, નાંદોદમાં 49 મીમી, ચીકદામાં 13 મીમી અને ડેડિયાપાડામાં 4 મીમી વરસાદ પડ્યો છે, જ્યારે સાગબારા તાલુકામાં આ બે કલાકમાં વરસાદ નોંધાયો નથી.

ચાલુ ચોમાસાની વરસાદી સ્થિતિ અને ટકાવારી

ચાલુ ચોમાસા દરમિયાન નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 681.50 mm વરસાદ નોંધાઈ ચૂક્યો છે. નર્મદા જિલ્લાના છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદ 1141 mm ની સરખામણીએ આ મોસમમાં અત્યાર સુધીમાં 59.71 ટકા વરસાદ થયો છે.

તાલુકાવાર કુલ વરસાદ અને 30 વર્ષની સરેરાશ:

  • સાગબારા: 921 મીમી (સરેરાશના 75.37%)

  • ડેડિયાપાડા: 791 મીમી (સરેરાશના 62.83%)

  • ચીકદા: 695 મીમી (સરેરાશના 55.20%)

  • નાંદોદ: 642 મીમી (સરેરાશના 62.27%)

  • ગરુડેશ્વર: 558 મીમી (સરેરાશના 55.91%)

  • તિલકવાડા: 482 મીમી (સરેરાશના 44.67%)

તંત્રનું મોનિટરિંગ અને નાગરિકો માટે સૂચના

ભારે વરસાદની સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી, નાળા અને જળાશયોના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવા, નદી-નાળામાં અવરજવર ટાળવા અને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.