સુરતમાં ફૂડ વિભાગ એક્શનમાં મોડમાં: એનાલોગ પનીર-ચીઝના ઉત્પાદન કે વેચાણ ઉપર પ્રતિબંધ, તમામ ઝોનમાં તપાસ શરૂ

ગુજરાતમાં એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ બાદ સુરતમાં ફૂડ શાખા એક્શન મોડમાં આવી છે. ઘોડદોડ રોડ પરથી 25-30 કિલો એનાલોગ ચીઝનો જથ્થો જપ્ત કરી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 06 Aug 2026 02:22 PM (IST)Updated: Thu, 06 Aug 2026 02:22 PM (IST)
surat-food-department-action-analog-paneer-cheese-ban-inspection-across-zones

Surat News: ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ એકશન મોડમાં આવ્યું છે. મનપાની ફૂડ શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એનાલોગ પનીર, ચીઝ બનાવતી, સંગ્રહ કરતી કે વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

naidunia_image

મનપાએ ઝોનવાઈઝ ટીમો બનાવીને તપાસ હાથ ધરી

મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ, બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે બાદ સુરતમાં મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા દરેક ઝોનની અંદર અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન ઘોડદોડ રોડ વિસ્તારમાં એક સંસ્થામાંથી લગભગ 25 થી 30 કિલો એનાલોગ ચીઝનો જથ્થો મળી આવ્યો હતો. જે આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને તેનો નાશ કરવામાં આવશે.

naidunia_image

એનાલોગ ચીઝનો જથ્થો નાશ કરવામાં આવશે

ફૂડ સેફ્ટી ઓફિસર સમીપ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગઇ કાલ રાતથી નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે, એનાલોગ ચીઝ અને પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી આજ સવારથી જ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનના વિવિધ વિસ્તારોમાં એનાલોગ ચીઝ કે પનીર બનાવતાં કે વેચાણ કરતાં એકમો સામે તપાસ હાથ ધરાઈ છે. જે જગ્યાએથી પણ આ જથ્થો મળશે તેને જપ્ત કરવામાં આવશે.

naidunia_image
ઘોડદોડ વિસ્તારમાંથી ચીઝનો જથ્થો જપ્ત કરાયો

ઘોડદોડ વિસ્તારમાં આવેલી એક સંસ્થામાંથી લગભગ 25 થી 30 કિલો એનાલોગ ચીઝનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને તેનો નાશ કરવામાં આવશે. આગામી દિવસોમાં એ તકેદારી રાખવામાં આવશે કે કોઈ બનાવે નહી, સંગ્રહ નહી કરે અને વેચાણ નહી કરે અને કોઈ સંગ્રહ કરે, બનાવે કે વેચાણ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.