પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ સામે સુરેન્દ્રનગર SP નું તેડું: રાજસ્થાનના યુવક 'જાટ'ના અપમૃત્યુ મામલે STT કરશે તપાસ

STTની તપાસ ડીવાયએસપી ડી.કે. પુરોહિતના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે. તપાસ માટે STT દ્વારા સુરેન્દ્રનગર SP ને સવારે 9 વાગ્યે હાજર રહેવા જણાવાયું હતું.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 23 Nov 2025 10:40 AM (IST)Updated: Sun 23 Nov 2025 10:40 AM (IST)
surendranagar-sp-complaint-against-former-mla-jayarajsinh-son-ganesh-stt-will-investigate-death-of-a-young-man-from-rajasthan-jat-642960

Ganesh Gondal: સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં મૂળ રાજસ્થાનના અને ગોંડલમાં પિતા પાસે રહીને અભ્યાસ કરતા યુવક રાજકુમાર ભાટના અપમૃત્યુના મામલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ કિસ્સામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ ખુલતાં, સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક (SP) દ્વારા ખુદ ગણેશ જાડેજાને તેડું મોકલવામાં આવ્યું છે. આ કેસની તપાસ હવે STT (સ્પેશિયલ ટાસ્ક ટીમ) ને સોંપવામાં આવી છે.

અપમૃત્યુ અને STTની તપાસ

મૃતક ગોંડલ રાજકુમાર ભાટના પિતાએ અગાઉ રાજકોટ કોર્ટમાં ધાર્મિક લાગણી દુભાવવા બદલ જયરાજસિંહના પુત્ર ગણેશ સામે ફરિયાદ કરી હતી. મુળ રાજસ્થાનના અને ગોંડલ ખાતે રહેતા રાજકુમાર ભાટ નામના યુવકનું કોઈ કારણસર અપમૃત્યુ થયું હતું. યુવકના અપમૃત્યુ બાદ, તેણે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના માણસોના નામ સાથેનો એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. યુવકના પરિવારે આ મામલો પહેલા રાજકોટ કોર્ટ અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચાડ્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ, આ કેસની તપાસ રાજ્ય STT (સ્પેશિયલ ટાસ્ક ટીમ) ને સોંપવામાં આવી છે.

ગણેશ જાડેજા અને અન્યોની પૂછપરછ

STTની તપાસ ડીવાયએસપી ડી.કે. પુરોહિતના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે. તપાસ માટે STT દ્વારા સુરેન્દ્રનગર SP ને સવારે 9 વાગ્યે હાજર રહેવા જણાવાયું હતું. ગણેશ જાડેજા અને તેમની સાથે સંકળાયેલા અન્યોની પૂછપરછ માટે તેમને સુરેન્દ્રનગર એસ.પી. કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. આ પૂછપરછમાં એસ.પી. પ્રેમસુખ ડેલું અને એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર મામલે STT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.