Gir Somnath: સોમનાથ મંદિરે કાર્તિક પૂર્ણિમાના મેળાનું ઉદ્ઘાટન પોતાની ગેરહાજરીમાં થતાં ધારાસભ્ય ભડક્યા, ટ્રસ્ટના અધિકારીઓને ઉધડો લીધો

તાલાલાના ધારાસભ્યને કાર્યક્રમમાં હાજરી આપવા માટે સાડા પાંચ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. જો કે અડધા કલાક પહેલા જ પાંચ દિવસનો મેળો ખુલ્લો મૂકી દેવાયો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 27 Nov 2025 09:33 PM (IST)Updated: Thu 27 Nov 2025 09:33 PM (IST)
gir-somnath-news-talala-mla-bhagwan-barad-angry-over-kartik-purnima-fair-inaugurated-in-his-absence-645741
HIGHLIGHTS
  • સોમનાથ મહાદેવ મંદિર કાર્તિક પૂર્ણિમા મેળાના ઉદ્ઘાટનમાં વિવાદ
  • ભગવાન બારડે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી

Gir Somnath: તાલાલાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભગવાન બારડ સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્તિક પૂર્ણિમા મેળાના ઉદ્ઘાટન સમારોહમાં વહીવટી અધિકારીઓ પર બરાબરના બગડ્યા હતા. મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્યની ગેરહાજરીમાં થતાં તેમણે ટ્રસ્ટના અધિકારીઓ પર ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવાની ચીમકી આપી છે.

રેન્જ આઇજી નિલેશ જાજડિયાના હસ્તે પાંચ દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાંજે 5 કલાકે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જો કે ધારાસભ્ય ભગવાન બારડ સ્થળ પર પહોંચે તે પહેલાં જ ઉદ્ઘાટન સમાપ્ત થઈ ચૂક્યું હતું.

ધારાસભ્ય ભગવાન બારડનું કહેવું છે કે, તેમણે કાર્યક્રમમાં હાજરી આપવા માટે સાંજે 5:30 કલાકનો સમય આપ્યો હતો. બીજી તરફ, સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓનું કહેવું છે કે મેળાના ઉદ્ઘાટન માટે સાંજે 5 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.