Somnath Temple Timings For Darshan, Mahashivratri 2026: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરે ભગવાન સોમનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ઉમટી પડશે, જેને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી લઈને બીજા દિવસ સુધીના વિશેષ પૂજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય કાર્યક્રમોનું સમયપત્રક:
| સમય | કાર્યક્રમની વિગત | સ્થળ |
| વહેલી સવારે ૦૪:૦૦ | મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલશે | સોમનાથ મંદિર |
| સવારે ૦૬:૦૦ | પ્રાતઃ મહાપૂજનનો પ્રારંભ | સોમનાથ મંદિર |
| સવારે ૦૭:૦૦ | પ્રાતઃ આરતી | સોમનાથ મંદિર |
| સવારે ૦૭:૩૦ | હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ | સોમનાથ મંદિર |
| સવારે ૦૮:૩૦ | સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજાપૂજન અને ધ્વજારોહણ | સોમનાથ મંદિર |
| સવારે ૦૯:૦૦ | પાલખી યાત્રા | મંદિર પરિસર |
| સવારે ૧૦:૦૦ | શ્રી સોમનાથ પાઘ પૂજન અને પાઘ શોભાયાત્રા | મંદિર પરિસર |
| બપોરે ૧૨:૦૦ | મધ્યાહ્ન આરતી | સોમનાથ મંદિર |
| બપોરે ૦૧:૩૦ થી ૦૨:૩૦ | શ્રદ્ધાળુઓ દ્વારા પંજિકૃત વિશેષ બિલ્વપૂજા | ગર્ભગૃહ |
| સાંજે ૦૪:૦૦ થી ૦૮:૩૦ | વિશેષ શૃંગાર દર્શન | સોમનાથ મંદિર |
| રાત્રે ૦૮:૩૦ | પ્રક્ષાલ પૂજન | સોમનાથ મંદિર |
| સમય | પૂજન વિગત | |
| સવારે ૦૮:૦૦ | શ્રી પાર્થિવેશ્વર પૂજન | |
| સવારે ૧૦:૦૦ | શ્રી પાર્થિવેશ્વર પૂજન | |
| બપોરે ૦૩:૦૦ | શ્રી પાર્થિવેશ્વર પૂજન | |
| સાંજે ૦૫:૦૦ | શ્રી પાર્થિવેશ્વર પૂજન |
| પ્રહર | પૂજનનો સમય | આરતીનો સમય |
| પ્રથમ પ્રહર | રાત્રે ૦૮:૪૫ | રાત્રે ૦૯:૩૦ |
| દ્વિતીય પ્રહર | મધ્યરાત્રિએ ૧૧:૦૦ | મધ્યરાત્રિએ ૧૨:૩૦ |
| તૃતીય પ્રહર | રાત્રે ૦૨:૪૫ | વહેલી સવારે ૦૩:૩૦ |
| ચતુર્થ પ્રહર | વહેલી સવારે ૦૪:૪૫ | વહેલી સવારે ૦૫:૩૦ |
