Sickle Cell-Thalassemia:ગુજરાતમાં સિકલ સેલ અને થેલેસેમિયા જેવાં આનુવંશિક બ્લડ ડિસઓર્ડરનું ભારણ વધી રહ્યું છે, જે સમયસર નિદાન અને સારવારની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મૂજબ 28 જુલાઇ, 2025 સુધીમાં ગુજરાતમાં સિકલ સેલ બિમારી માટે 77.34 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું, જેમાંથી 28,178 લોકોને બિમારી હોવાની પુષ્ટિ કરાઇ હતી.
દેશભરમાં 9 ફેબ્રુઆરી, 2026 સુધીમાં 33.44 લાખ વ્યક્તિઓનું થેલેસેમિયા માટે સ્ક્રીનિંગ કરાયું હતું, જેમાંથી 11,274ને થેલેસેમિયા મેજર કેસ અને 94,542ની બિમારીને વાહક (કેરિયર) તરીકે ઓળખ કરાઇ હતી.
આનુવંશિક હિમોગ્લોબિન સંબંધિત બિમારી
સંસદમાં રજૂ કરાયેલાં ડેટા રાષ્ટ્રીય સ્તરે થેલેસેમિયાના આંકડા સૂચવે છે ત્યારે ગુજરાતમાં કેટલાંક સમુદાયોમાં થેલેસેમિયાની સમસ્યા પહેલેથી હોવાનું જોવા મળ્યું છે, જે રાજ્ય માટે આનુવંશિક હિમોગ્લોબિન સંબંધિત બિમારીઓને મેનેજ કરવાના પડકારમાં વધારો કરે છે.
આ બિમારીઓથી પ્રભાવિત હજારો પરિવારો માટે પરિસ્થિતિને મેનેજ કરવામાં આજીવન બ્લડ ટ્રાન્સફ્યુઝન, આયર્ન કીલેશન થેરાપી, વારંવાર હોસ્પિટલની મુલાકાત તથા નિયમિત મોનિટરિંગનો સમાવેશ થાય છે, જેનાથી વ્યક્તિની જીવન ગુણવત્તા નોંધપાત્ર રીતે પ્રભાવિત થાય છે તેમજ પરિવારો ઉપર આજીવન મેડિકલ અને નાણાકીય ભારણ સર્જાય છે.
હેમેટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ
હેમેટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ તરીકે ઓળખાતા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (બીએમટી) થેલેસેમિયા મેજર અને સિકલ સેલ બિમારીના કેટલાંક ગંભીર સ્વરૂપે માટે એકમાત્ર પ્રચલિત સારવાર છે. આનુવંશિક હિમોગ્લોબિન બિમારીઓ ઉપરાંત બીએમટી ગંભીર લ્યૂકેમિયા, લિમ્ફોમા અને બોન મેરો ફેઇલ્યોર સિન્ડ્રોમ જેવી રક્ત સંબંધિત ગંભીર બિમારીઓ માટે પણ ઉપચારની પ્રચલિત પદ્ધતિ છે.
હેલ્ધી સ્ટેમ સેલથી બદલવામાં આવે છે
આ પ્રક્રિયામાં ખામીયુક્ત અથવા બિમાર બોન મેરોને હેલ્ધી સ્ટેમ સેલથી બદલવામાં આવે છે, જે નોર્મલ બ્લડ સેલ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય. ડોનર મેચિંગ, કન્ડિશનિંગ રેજીમેન્સ, ઇન્ફેક્શન કંટ્રોલ અને સપોર્ટિંવ કેરમાં પ્રગતિથી છેલ્લાં દસ વર્ષમાં દર્દીને બચાવવામાં સારા પરિણામો મળ્યાં છે અને વિશેષ કરીને ત્યારે કે જ્યારે દર્દીને બિમારીના પ્રારંભિક તબક્કામા રિફર કરવામાં આવ્યાં હોય.
બોન મેરો ફેઇલ્યોર સિન્ડ્રોમથી પીડિતો
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે હેમેટો-એન્કોલોજીસ્ટ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્તિ) ડો. વેલુ નાયરે જણાવ્યું હતું કે,બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી રક્ત સંબંધિત ગંભીર બિમારીથી પીડિત દર્દી માટેના પરિણામોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. થેલેસેમિયા મેજર, ગંભીર સિકલ સેલ બિમારી, લ્યુકેમિયા અથવા બોન મેરો ફેઇલ્યોર સિન્ડ્રોમથી પીડિત ઘણાં બાળકો અને યુવાનોને ટ્રાન્સપ્લાન્ટ લાંબાગાળા સુધી રોગ નિયંત્રણ અથવા ઉપચારની સંભાવના પ્રદાન કરે છે. વહેલા રેફરલ અને સાચા ડોનરની પસંદગીથી આજે જીવિત રહેવાના પરિણામો એક દાયકાની તુલનામાં વધુ સારા છે.
દરેક કેસમાં ટ્રાન્સપ્લાન્ટ માટે રિપ્લેસમેન્ટ નથી
તાજેતરના વર્ષોમાં CAR-T સેલ થેરાપી (કાઇમેરિક એન્ટિજેન રિસેપ્ટર ટી-સેલ થેરાપી) જેવી સેલ્યુલર થેરાપી કેટલાંક રિલેપ્સ્ડ અથવા રિફેક્ટરી લ્યુકેમિયા અને લિમ્ફોમાની સારવારમાં મહત્વપૂર્ણ રહી છે. વિશેષ કરીને સારવારના પરંપરાગત વિકલ્પોને અપનાવનાર દર્દીઓ માટે CAR-T થેરાપી પ્રિસિઝન ઇમ્યુનોથેરાપીમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. જોકે, દરેક કેસમાં ટ્રાન્સપ્લાન્ટ માટે રિપ્લેસમેન્ટ નથી, પરંતુ પસંદગીના દર્દીઓમાં ખૂબજ સારો રિસ્પોન્સ રેટ જોવા મળ્યો છે.
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ ખાતે બીએમટી અને સેલ્યુલર થેરાપી યુનિટે લ્યુકેમિયા, લિમ્ફોમા તેમજ આનુવંશિક બ્લડ ડિસઓર્ડર ધરાવતા ઘણાં દર્દીઓની સફળ સારવાર કરી છે, જેમાં શ્વાચમેન-ડાયમંડ સિન્ડ્રોમ અને હાઇપર IgD સિન્ડ્રોમ જેવાં દુર્લભ બોન મેરો ફેઇલ્યોર સિન્ડ્રોમ સામેલ છે. તેના ક્લિનિકલ પરિણામો ખૂબજ પ્રોત્સાહ રહ્યાં છે.
