Antimicrobial Resistance: દેશભરમાં એન્ટીમાઈક્રોબિયલ રેસિસ્ટેન્સ(AMR) હવે ફક્ત હોસ્પિટલો અને દવાઓની જ સમસ્યા રહી નથી કૃષિ તથા પશુપાલન, મરઘાપાલન અને મત્સ્ય પાલનમાં એન્ટીબાયોટિક દવાઓના વધારે પડતા તથા અયોગ્ય ઉપયોગને લીધે રેસિસ્ટેન્ટ બેક્ટિરિયા કૃષિ ઉત્પાદનો તથા માંસાહાર મારફતે ભોજનની થાળી સુધી પહોંચી ગયા છે.
સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિશ્વમાં તૈયાર થતી દરેક ત્રણ પૈકી બે એન્ટીબાયોટિક દવાઓના ઉપયોગ માનવીની સારવાર માટે નહીં પણ દૂધ, માંસ, ઈંડા અને માછલીના ઉત્પાદનને વધારવા થઈ રહ્યો છે.
આ અંધાધૂંધ ઉપયો AMRને એક અદ્રશ્ય મહામારી બની ગઈ છે અને સામાન્ય સંક્રમણોમાં ઉપયોગ થનારી એન્ટીબાયોટીક દવાઓ ધીમે ધીમે અસર વગરની થઈ રહી છે તથા સારવાર જટિલ તથા મોંઘી થઈ રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે કેન્દ્ર સરકારે પશુપાલન તથા મત્સ્ય ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવતી 3 એન્ટી માઈક્રોબિયલ દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.
તેમાં 18 એન્ટી માઈક્રોબિયલ, 18 એન્ટીવાયરલ અને એક એન્ટી-પ્રોટોઝોન દવાનો સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI)એ પણ દૂધ, માંસ, ઈંડા,પોલ્ટ્રી તથા મત્સ્ય ઉત્પાદનોમાં એન્ટી માઈક્રોબિયલ દવાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
એક ગંભીર પર્યાવરણીય ખતરો
આ રેસિસ્ટેન્ટ બેક્ટિરિયા ફક્ત ભોજન દ્વારા જ નહીં પરંતુ પ્રાણીઓ,માટી અને પાણીના સ્ત્રોતો સાથે સીધા સંપર્ક દ્વારા પણ ફેલાઈ રહ્યા છે જે તેમના મળ અને પેશાબથી દૂષિત છે. આ જ કારણ છે કે AMR હવે માત્ર આરોગ્ય સંકટ જ નહીં પરંતુ પાણી, જંગલો, જમીન અને પર્યાવરણ માટે પણ ગંભીર ખતરો બની ગયો છે.
83 ટકા દર્દીઓમાં બહુ-દવા પ્રતિરોધક બેક્ટેરિયા હોય છે…
મેડિકલ જર્નલ ધ લેન્સેટ અને અન્ય અભ્યાસોએ એ પણ જાહેર કર્યું છે કે ભારતીય હોસ્પિટલોમાં આવતા લગભગ 83 ટકા દર્દીઓમાં બહુ-દવા પ્રતિરોધક બેક્ટેરિયા હોય છે. આનું એક મુખ્ય કારણ ખોરાક શૃંખલા દ્વારા શરીરમાં પ્રવેશતા પ્રતિરોધક બેક્ટેરિયા છે. ધ લેન્સેટમાં પ્રકાશિત 2024ના અહેવાલ મુજબ, જો વર્તમાન વલણો યથાવત રહે છે, તો AMR 2025 અને 2025 વચ્ચે વાર્ષિક ૩૯ મિલિયનથી વધુ મૃત્યુનું કારણ બની શકે છે.
વૈશ્વિક પરિસ્થિતિની સરખામણીમાં ભારતની સ્થિતિ ચિંતાજનક છે…
એક અહેવાલ મુજબ ભારતમાં પશુધન અને મરઘાં માટે વાર્ષિક આશરે 3,000 ટન એન્ટિબાયોટિક્સનો ઉપયોગ થાય છે. અહીં, ઉત્પાદિત માંસ દીઠ કિલોગ્રામ દીઠ સરેરાશ 114 મિલિગ્રામ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ થાય છે, જ્યારે નોર્વે જેવા દેશોમાં પ્રતિ કિલોગ્રામ માત્ર ચાર મિલિગ્રામ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ થાય છે.
