નવરાત્રીમાં વ્રતનું ખૂબ જ મહત્વ છે. વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. ફળ, દૂધ અને ફરાળી વસ્તુઓ જ ખાવામાં આવે છે. ચાલો જાણીએ ફરાળી પરાઠા બનાવવાની સરળ રીત.
ચા સાથે આ ફરાળી પરાઠા ખાવાની મજા અલગ છે. ઘણા લોકો દહીં કે ચટણી સાથે પણ ખાય છે.
રાજગરાનો લોટ, પનીર, બાફેલા બટેટા, જીરું,સેંધા નમક, ઘી, કોથમીર, લીલા મરચા,પાણી.
સૌ પ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ, પનીર, બાફેલા બટેટા, જીરું,મીઠું, ઘી, કોથમીર, લીલા મરચા અને પાણી નાખીને લોટ બાંધી લો.
થોડીવાર લોટને રેસ્ટ થવા દો જેથી લૂઓ બનાવીને પરાઠા બનાવી શકાય.
હવે લૂઓ લઈને રોટલીની જેમ વણી લો અને ગેસ પર તવો ગરમ કરો.
તવો ગરમ થાય પછી પરાઠાને મૂકીને બન્ને બાજુ તેલ લગાવીને શેકી લો. તૈયાર છે ટેસ્ટી રાજગરાના ફરાળી પરાઠા, તમે તેને દહીં કે ફરાળી ચટણી સાથે સર્વ કરો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.