તલ અને વરિયાળીનો ઉપયોગ મોટા ભાગે માઉથ ફ્રેશનર તરીકે થતો હોય, તેથી જો તેમ ઘરે આવતા મહેમાનો માટે મુખવાસ બનાવવા માંગતા હોવ તો તમે તલ વરીયાળીનો મુખવાસ ટ્રાય કરો.
તલ, વરીયાળી, અજમો, મીઠું, હળદર.
સૌ પ્રથમ એક થાળીમાં તલની વચ્ચે હળદર, મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળીને મિક્સ કરી લો.
હવે બીજી એક થાળીમાં વરીયાળી, હળદર,મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળીને મિકસ કરી લો.
હવે ત્રીજી થાળીમાં અજમો, હળદર, મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળને મિક્સ કરી લો.
હવે એક કડાઈમાં એક પછી એક એમ ત્રણેય સામગ્રીને હળવી શેકી લો.
હવે એક બાઉલમાં બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે તલ અને વરિયાળીનો મુખવાસ, તમે ભોજન લીધા પછી સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાકઈ-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.