દરેક લોકોએ મેથી પાલકના પકોડા ચણાના લોટમાંથી બનાવે છે. પરંતુ આજે અમે તમને ઘઉંના લોટમાંથી બનાવવાની રીત જણાવીશું.
લોટ, મીઠું, લીલા મરચા, કોથમીર, જીરું, તેલ, હળદર.
સૌપ્રથમ એક બાઉલમાં લોટ, જીરું, હળદર નાખી થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવો.
હવે કોથમીર અને મરચાંને ધોઈ લો, પછી તેને બારીક સમારી લો.
હવે બેટરમાં મીઠું, સમારેલ મરચું અને કોથમીર નાખીને ફરીથી સારી રીતે મિક્સ કરો અને પીટ કરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ઘઉંનો લોટમાંથી હાથ કે ચમચીની મદદથી પકોડા બનાવો.
ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લો પછી તેને બહાર કાઢીને ટીશ્યુ પર રાખો.
તૈયાર છે પકોડા તમે ઘરે 10 મિનિટમાં તૈયાર કરી શકો છો જશે. તેને ચટણી કે અથાણા સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.