Farali Bhajiya: નવરાત્રીના ઉપવાસમાં 10 મિનિટમાં ક્રિસ્પી શિંગોડાના લોટના પકોડા બ


By Vanraj Dabhi03, Apr 2025 12:19 PMgujaratijagran.com

નવરાત્રી ઉપવાસ

નવરાત્રીના 9 દિવસમાં મોટાભાગની મહિલાઓ અને પરિવારના સભ્યો નવ દિવસ ઉપવાસ રાખે છે અને દેવી દુર્ગાની પૂજા કરે છે.

શિંગોડાના લોટ પકોડા

આજે અમે તમને શિંગોડાના લોટના પકોડાની રેસીપી જણાવીશું, જે 10 મિનિટમાં ઝડપથી તૈયાર થઈ શકે છે. તે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે, તેટલું જ બનાવવામાં પણ સરળ છે.

સામગ્રી

શિંગોડાના લોટ, જીરું,લીલા મરચાં, લીલા ધાણા, સિંધવ મીઠું, બટાકા, ઘી અથવા તેલ.

સ્ટેપ-1

પહેલા એક બાઉલમાં શિંગોડાના લોટ ઉમેરો. હવે તેમાં મીઠું, જીરું અને થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ તૈયાર કરો.

સ્ટેપ-2

હવે બટાકાની છાલ ઉતારી ચિપ્સ કટર મશીનનો ઉપયોગ કરીને બટાકાની ગોળ આકારમાં પાતળી પતરી બનાવી લો.

સ્ટેપ- 3

હવે સમારેલા બટાકા પતરીને સારી રીતે ધોઈને તેને સાફ કરી પછી લીલા ધાણા અને મરચાં પણ સમારી લો.

સ્ટેપ-4

હવે બાજુ પર રાખેલા શિંગોડાના લોટ બેટરમાં મરચાં, કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ પછી તેમાં સમારેલા બટાકા નાખી તેને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-5

હવે ગેસ પર તવા મૂકી તેલ કે ઘી ઉમેરીને ગરમ કરો અને પછી તેમાં પકોડા તળી લો.

સર્વ કરો

તૈયાર છે શિંગોડાના લોટના પકોડા, તમે તેને ચા અને ચટણી સાથે સર્વ કરી શકો છો.

નવરાત્રીના ઉપવાસમાં ઘરે બનાવો આ સ્વાદિષ્ટ કાકડીની ખીર