મગદાળના પરાઠા તો તમે ટ્રાય કર્યા હશે, આજે આપણે ચણાની દાળના પરાઠા બનાવવાની રીત જાણીશું.
ચણાની દાળ, ઘઉંનો લોટ, જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, મીઠું, પાણી, તેલ.
સૌ પ્રથમ ચણાની દાળને પાણીથી ધોઈ લો અને તેને પ્રેશર કૂકરમાં બાફીને બ્લેન્ડરમાં બરછટ પેસ્ટ બનાવી લો.
હવે એક બાઉલમાં ચણાની દાળની પેસ્ટ, ઘઉંનો લોટ, જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે લોટમાંથી નાના નાના લૂઆ બનાવીને પરાઠા બનાવો.
હવે એક તવો ગરમ કરી તેની પર તેલ લગાવીને પરાઠાને બંને બાજુ શેકી લો.
તૈયાર છે ચણાની દાળના પરાઠા, તમે સર્વ કરી શકો છો.