ગોળ અને તલ બંને શિયાળા માટે આરોગ્યપ્રદ વસ્તુ છે. તેથી ખાસ કરીને મકરસંક્રાંતિ પર તે ખૂબ જ ખાવામાં છે, તેથી આજે અમે તમને તલ અને ગોળના પરાઠા બનાવવાની રીત જણાવીશું.
ઘઉંનો લોટ, સફેદ તલ, ગોળ, ઘી, મીઠું.
સૌ પ્રથમ એક બાઉલમાં લોટ, મીઠું અને પાણી મિક્સ કરીને પરાઠાનો લોટ તૈયાર કરો.
હવે એક પેનમાં સફેદ તલ શેકી તેને ઠંડા થાય પછી તેને મિક્સર જારમાં નાંખીને ગ્રાઈન્ડ કરી લો.
હવે તેને એક વાસણમાં ગોળનો પાવડર અને તલનો ભુકો ઉમેરી અને મિક્સ કરો.
હવે એક તવાને ગરમ કરી લોટમાંથી લૂઓ બનાવી તેમાં ગોળ અને તલનું સ્ટફિંગ ભભરાવીને પરાઠાની જેમ રોલિંગ કરો.
હવે એક એક તવા ગરમ કરી તેની પર પર મૂકીને એક ચમચી ઘી લગાવીને બંને બાજુ શેકી લો.
તૈયાર છે તલ અને ગોળના પરાઠા તમે મનપસમદ ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી બીજી રેસિપી જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.