ચણાનું શાક તો દરેક લોકોએ ખાધુ જ હશે, શું તમે સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક ખાધુ છે, આજે આપણે તેની રીત જણાવીશું.
લીલા ચણા, તેલ, તમાલપત્ર, જીરું, લવિંગ, તજ, આદુ-મરચાની પેસ્ટ, કોબીજની ગ્રેવી, ટમેટાની પ્યુરી, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, કોથમરી, લીંબુનો રસ,પંજાબી શાકનો મસાલો, ખાંડ.
સૌ પ્રથમ લીલા ચણાને ફોલી તેને એક પ્રેશર કૂકરમાં હળવા બાફી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, જીરું, લવિંગ, તજ, આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને વઘાર તૈયાર કરો.
હવે તેમાં કોબીજની ગ્રેવી, ટમેટાની પ્યુરી, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં બાફેલા લીલા ચણા, પંજાબી શાકનો મસાલો, ખાંડ ઉમેરીને ગ્રેવી સાથે મિક્સ કરી લો.
હવે તમે તેની ઉપર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.