પનીર એ વેજ ખાનારાઓની પહેલી પસંદ છે. પનીર વડે બનાવેલ કોઈપણ શાક ખુબ જ સરસ લાગે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને પનીર પંજાબી તડકા બનાવવા વિશે જણાવીશું.
પનીર, ડુંગળી, ટામેટા, લીલું મરચા, આદુ લસણની પેસ્ટ, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, જીરું, માખણ, તેલ, મીઠું, કોથમરી.
સૌપ્રથમ પનીરને ધોઈને તેના નાના ટુકડા કરી લો.
હવે પેન તેલ ગરમ કરી તેમાં જીરું નાખીને સાંતળી લો.
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને તેને ફ્રાય કરો, જ્યારે તે બ્રાઉન રંગની થાય ત્યારે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને પકાવો.
હવે તેમાં ટામેટાં, હળદર, ધાણાજીરું અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. થોડું પાણી પણ ઉમેરીને પકાવો.
હવે તેમા પનીર ઉમેરીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો અને પકાવી ગ્રેવી તૈયાર કરો.
હવે પનીર પંજાબી તડકા પર કોથમીર અને ક્રીમથી ગાર્નિશ કરો.
તૈયાર છે પનીર પંજાબી તડકા તમે ગરમા ગરમ રોટલી અને ભાત સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.