મકરસંક્રાંતિ એ ભારતના તહેવારોમાંનો એક સૌથી પ્રખ્યાત અને પવિત્ર તહેવાર છે, જે દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.
મકરસંક્રાંતિ પર દરેક લોકો ગજક ખાવાનું પસંદ કરતા હોય છે, આજે અમે તમને ગજર ઘરે બનાવવા માટેની સરળ રીત જણાવીશું.
આ દિવસે તલ અને ગોળમાંથી ગજક ખાસ બનાવવામાં આવે છે, જે ખાવાની ખૂબ મજા આવે છે. આજે અમે તમને બજાર જેવી ગજરની રેસીપી બનાવવાની સરળ રીત જણાવીશું.
સફેદ તલ, ગોળ, ઘી, એલચી પાવડર.
સૌપ્રથમ એક પેનમાં તલને ધીમી આંચ પર શેકી લો.
હવે એ જ પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ અને પાણી ઉમેરીને ધીમી આંચ પર હલાવતા રહીને જાડી ચાસણી તૈયાર કરી લો.
હવે તેમાં શેકેલા તલ નાખીને મિક્ષ કર્યા બાદ તેમાં ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે તેને એક પ્લેટમાં થોડું ઘી લગાવીને તેમાં કાઢીને પાથરી લો.
હવે તે થોડું ઠંડું થાય પછી તેને ચાકુ વડે મનપસંદ આકારમાં કાપી લો.
તૈયાર છે ગજકની રેસીપી તમે સર્વ કરી શકો છો અને તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને મકરસંક્રાંતિ પર પરિવાર અને મિત્રો સાથે તેનો આનંદ માણી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.