Budget 2025: હવે વાર્ષિક 12 લાખની આવક પર ટેક્ષ નહીં ભરવો પડે, જાણો નાણામંત્રીની


By Vanraj Dabhi01, Feb 2025 01:09 PMgujaratijagran.com

બજેટમાં જાહેરાત

નાણામંત્રીએ આવકવેરાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે શ્રમજીવી લોકોને મોટી ભેટ આપી છે.

ટેક્સ ફ્રી

બજેટમાં નાણામંત્રીએ કહ્યું કે, 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.

મહિને 1 લાખની આવક

હવે તમારે મહિને 1 લાખ રૂપિયાની આવક અથવા પગાર પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

કરદાતા માટે મોટી ભેટ

આ વખતે કરદાતાઓને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. એવું માનવામાં આવતું હતું કે જૂની અને નવી આવકવેરા પ્રણાલીમાં કરદાતાઓને ઘણી છૂટ અને કપાત આપવામાં આવી શકે છે.

આટલી આવક કરમુક્ત

નાણામંત્રીએ જાહેરાત કરતા કહ્યું છે કે, હવે 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે. ઉપરાંત, તેને રૂ. 75000ની સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે.

નવા ટેક્સ સ્લેબ

4-8 લાખ પર 5% ટેક્ષ, 8-12 લાખની આવક પર 10% ટેક્ષ, 12-16 લાખની આવક પર 15% ટેક્ષ, 16-20 લાખની આવક પર 20% ટેક્ષ, અને 20-24 લાખની આવક પર 25% ટેક્ષ છે.

નવો કાયદો આવશે

દેશમાં આવકવેરાનો નવો કાયદો બનશે. આ માટે સરકાર આવતા અઠવાડિયે નવું બિલ લાવશે.

કાયદો બદલવાની જરૂર છે

દેશમાં હાલમાં 1961નો આવકવેરા કાયદો અમલમાં છે. બજેટ 2020 માં, સરકારે આ કાયદા હેઠળ નવી કર વ્યવસ્થા લાગુ કરી હતી.

વાંચતા રહો

બજેટ સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Budget 2025: મખાનાનું માર્કેટ કેટલું મોટું છે, આ દેશોમાં સૌથી વધુ માંગ છે