ઉનાળામાં ગરમીથી બચાવવા માટે અને શરીરને ઠંડુ રાખવા માટે તમે ઘરે વરિયાળીનું શરબત બનાવીને પીવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.
વરિયાળી, ખાંડ, લીંબુ, કાળું મીઠું, ફુદીનાના પાન, બરફ, પાણી.
સૌ પ્રથમ વરિયાળીને સારી રીતે ધોઈને સાફ કરીને 2-3 કલાક પાણીમાં પલાળી દો.
હવે વરિયાળીને ગરણી વડે પાણીમાંથી કાઢીને મિક્સર જારમાં નાખીને તેમાં સ્વાદ અનુસાર ખાંડ અને કાળું મીઠું નાખો.
હવે તેમાં ફુદીનાના પાન અને થોડું પાણી ઉમેરીને મિક્સરમાં પીસી લો.
હવે વરિયાળીની પેસ્ટને એક વાસણમાં કાઢીને પેસ્ટમાં જરૂર મુજબ પાણી અને લીંબુનો રસ મિક્સ કરો.
હવે શરબતમાં બરફના ટુકડા ઉમેરીને ઠંડુ વરિયાળીનું શરબત સર્વ કરો.
ઉનાળામાં તેને પીવાથી શરીરને ઠંડુ રાખે,આખો દિવસ વ્યક્તિને ફ્રેશ રાખશે અને તણાવથી મુક્ત રાખશે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.