ઘણા લોકો બહાર અનલિમિટેડ ખાવાના શોખીન હોય છે, તમે હેલ્ધી વાનગી ખાવાનું પસંદ હોય તો આજે અમે તમને શાહી ખીચડી એન્જોય કરી શકો છો.
આજે અમે તમને એક અમદાવાદ નજીક આવેલ અનલિમિટેડ વાનગી માણવાનું લોકેશન શેર કરીશું.
અહીં તમે ફક્ત 5 રુપિયામાં અનલિમિટેડ શાહી ખીચડીનો આનંદ માણી શકો છો.
શ્રી અન્નપૂરણાધામ ટ્રસ્ટ દ્વારા માઁ અન્નપૂર્ણા ભોજનાલયમાં સૌ પ્રથમ આ પહેલ કરવામાં આવી છે.
શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ ખાતે આવેલ છે.
અડાલજ ખાતે આવેલ અન્નપૂર્ણાધાનું સંચાનલ શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે.
અહીં તમને ફક્ત 50 રુપિયામાં શાહી ખીચડીની પાર્સલ સુવિધ પણ ઉપલબ્ધ છે.
અહીં દરરોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી શાહી ખીચડી ઉપલબ્ધ હોય છે.
આવી અવનવી વાનગી અને અનલિમિટેડ લોકેશન જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.