જ્યારે લિવર યોગ્ય રીતે કામ ના કરતું હોય, ત્યારે પાચન તંત્રમાં ગરબડ થતી હોય છે. જેના પરિણામે પેટમાં ગેસ, બળતરા અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે.
આંખો અને ત્વચા પીળી પડવી એ લિવર ખરાબ થવાનો એક મોટો સંકેત છે, જેને કમળો કહેવાય છે. આ દર્શાવે છે કે, લિવર બિલીરૂબિનને યોગ્ય રીતે પ્રોસેસ કરી રહ્યું નથી.
લિવર ખરાબ થવા પર અચાનક ભૂખ ઓછી લાગવા માંડે છે અને વજન પણ સડસડાટ ઉતરવા લાગે છે. લિવરમાં ગરબડના કારણે શરીરને યોગ્ય પોષણ ના મળતું હોવાના કારણે આમ થતું હોય છે.
લિવર ખરાબ થવા પર પેટના જમણાં ભાગમાં દુખાવો થઈ શકે છે. ખાસ કરીને જ્યારે સોજો વધે છે, ત્યારે આ દુખાવો અને અસ્વસ્થતા વધુ તીવ્ર થઈ જાય છે
જો લિવર ઝેરી તત્વોને ફિલ્ટર ન કરી શકે તો તે લોહીમાં જવા લાગે છે. જેની સીધી અસર મગજ પર પડે છે. જેના પરિણામે વ્યક્તિને ભ્રમ, ચક્કર અથવા માનસિક નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઘણીવાર લિવર ડેમેજ થવા પર પગ અને પેટમાં સોજા આવી જાય છે, કારણ કે શરીરમાં પાણી અને મીઠાનું સંતુલન બગડી જવાના કારણે આમ થવા લાગે છે.
પેશાબનો રંગ ઘેરો થઈ શકે છે અને મળનો રંગ હળવો કે સફેદ જેવો દેખાવા લાગે છે. આ પણ લિવર ખરાબ થવાના લક્ષણોમાં આવે છે.