કયુ રેલવે સ્ટેશન અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં આવેલુ છે?


By Nileshkumar Zinzuwadiya11, Nov 2024 04:18 PMgujaratijagran.com

નવાપુર સ્ટેશન

રેલવે સ્ટેશનનું નામ નવાપુર સ્ટેશન છે, જે સુરત-ભુસાવલ લાઈન પર આવે છે.

બે રાજ્ય વચ્ચે એક રેલવે સ્ટેશન

આ સ્ટેશન અડધુ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવે છે અને અડધુ ગુજરાતના તાપી જિલ્લામાં આવે છે.

800 મીટરનું છે રેલવે સ્ટેશન

800 મીટર લાંબુ આ રેલવે સ્ટેશન પૈકી 500 મીટર ગુજરાતમાં અને 300 મીટર મહારાષ્ટ્રમાં આવે છે.

અનાઉન્સમેન્ટ

આ રેલવે સ્ટેસન ખાતે અનાઉન્સમેન્ટ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં થાય છે.

ટિકિટ બારી અને પોલીસ સ્ટેશન

અહીં ટિકિટ કાઉન્ટર અને પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રમાં અને સ્ટેશન માસ્ટરની ઓફિસ ગુજરાતમાં આવેલ છે.

વિન્ટર સ્પેશિયલ ગાજર મરચાનું અથાણું બનાવવાની રીત